રાજ્યમાં આગામી 15 જૂનથી ચાર મહિના માટે તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ રહેશે. આગામી 15 ઑક્ટોબર સુધી કોઈ પણ ખાનગી કે સરકારી વૅબસાઈટ પૉર્ટલ પર પ્રવાસીઓ માટે ઑનલાઈન બૂકિંગ કરાતું નથી.
સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ સર્જાય છે. દરમિયાન અવરોધ થવાની શક્યતાને ધ્યાને લઈ વન વિભાગે આ સમયગાળા પૂરતો પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.
Site Admin | જૂન 12, 2025 6:43 પી એમ(PM)
રાજ્યમાં આગામી 15 જૂનથી ચાર મહિના માટે તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ રહેશે.
