રાજ્યભરમાં આજે જેઠ સુદ પૂનમ એટલે કે, વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણમાં પ્રાચીન અંબાજી માતા મંદિર સંકુલમાં આવેલા ખંડોબા મહાદેવ મંદિર પાસેના પીપળાના ઝાડ ખાતે મહિલાઓએ પૂજા-અર્ચના કરી. દરમિયાન તેમણે પતિ અને સંતાનોના લાંબા આયુષ્ય અને પરિવારના કલ્યાણ માટેની ભાવના સાથે પીપળાના વૃક્ષ ફરતે સૂતરના દોરા બાંધી પ્રદક્ષિણા પણ કરી.
સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર મોતીસર તળાવની પાળ પર આવેલા દોઢ સો વર્ષ જૂના વડલાની છત્રછાયામાં મહિલાઓએ પૂજા-અર્ચના કરી. તેમણે વડના વૃક્ષને સુતરની દોરી બાંધી જળ-અર્પણ કર્યું.
Site Admin | જૂન 10, 2025 3:06 પી એમ(PM)
રાજ્યભરમાં વટ સાવિત્રીના વ્રતની ઉજવણી…
