ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 16, 2025 9:12 એ એમ (AM)

printer

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાશે

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ભારત સરકારે સઘન રસીકરણ અભિયાન હેઠળ વિવિધ રોગોની રસી આપીને લોકોને જીવનદાન આપ્યું છે.
સરકારનું પોલિયો રસીકરણ અભિયાન તેનાં “દો બુંદ જિંદગી કે” સુત્ર માટે ખૂબ જાણીતું બન્યું છે. વિવિધ રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો, ટીબી, શીતળા, ઓરી, ઇન્ફ્લુએન્ઝા અને કોરોના જેવી ગંભીર બીમારીઓ સામે લડીને અનેક લોકોને બચાવી શકાયા છે.
16 માર્ચ, 1955નાં રોજ ભારત સરકારે દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે પોલિયોની રસીનો પ્રથમ ડોઝ આપીને સત્તાવાર રીતે પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ અભિયાન અંતર્ગત શૂન્યથી પાંચ વર્ષની વય જૂથના તમામ બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવામાં આવે છે. સરકારના અવિરત પ્રયત્નના કારણે જ ગંભીર રોગ સામે સફળતા મળી અને વર્ષ 2014માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો. ભારત સરકારના કોવિડ-19 મહામારીની રસીએ આ વૈશ્વિક મહામારી સામે માત આપવામા અગત્યનો ભાગ ભજવ્યો છે.
આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે પ્રજાજનોને જાગૃત કરવાનો અને ડોકટરો અને આરોગ્યકર્મીઓની મહેનતની પ્રશંસા કરવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ