ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજ્યભરના પાકિસ્તાન સરહદના જિલ્લાઓમાં આજે સાંજે પાંચ વાગે કવાયત યોજાવાની હતી. પરંતુ રાજ્ય સરકારે ગઇકાલે મોડી રાત્રે આ કવાયત મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા સહિત રાજ્યભરમાં સિવિલ ડિફેન્સને લગતી આ કવાયત યોજાવાની હતી. જેમાં અંધારપટ સહિતની કવાયત હાથ ધરનારી હતી. વહિવટી કારણોસર રદ કરાયેલી આ કવાયતની હવે પછીની નવી તારીખ જાહેર કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સહિતના સરહદી રાજ્યોના જિલ્લાઓમાં આ કવાયત યોજવાની જાહેરાત કરી હતી.
Site Admin | મે 29, 2025 9:52 એ એમ (AM)
રાજ્યભરમાં આજે યોજાનારી ઓપરેશન શિલ્ડ અંતર્ગતની કવાયત વહિવટી કારણોસર મોકૂફ
