રાજ્ય સરકારે 4 મહાનગર પાલિકાઓ અને 4 નગરપાલિકાઓ માટે દિવાળીની ભેટ તરીકે કુલ 502 કામો માટે અંદાજે 1664 કરોડ રૂપિયાના ભંડોળને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરાયેલી આ ફાળવળીમાં સુરતમાં 6 ફ્લાય ઓવર માટે રૂપિયા 360 કરોડ રૂપિયા, અમદાવાદના બાહ્ય વિસ્તારોના 46 વિકાસ કામો માટે 313 કરોડ રૂપિયા, વડોદરાના બાહ્ય વિસ્તારોના 50 વિકાસકામો માટે 68 કરોડ રૂપિયા, આંતર માળખાકીય વિકાસના 378 કામો માટે 755 કરોડ રૂપિયા, તેમજ ગાંધીનગર આંતરમાળખાકીય વિકાસના 22 કામો માટે 144 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી કરી છે.
આ બહુહેતુક યોજનામાંથી નગરો- મહાનગરો ટ્રાફિક ભારણ સરળ કરવા, ફ્લાયઓવર બ્રિજ નિર્માણ, અર્બન મોબિલિટી, તેમજ રોડ રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઇટ જેવા સામાજિક અને ભૌતિક માળખાકીય વિકાસના કામો માટે નાણ ફાળવણી કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 29, 2024 7:36 પી એમ(PM)
રાજ્યની ચાર મહાનગરપાલિકા અને વિવિધ વિકાસકામો માટે 1600 કરોડથી વધુ રકમ ફાળવવા રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી..
