રાજ્ય સરકારે ધારાસભ્યોના અનુદાનમાં એક કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. તે મુજબ ધારાસભ્યોને હવે એક કરોડ 50 લાખ રૂપિયાની જગ્યાએ બે કરોડ 50 લાખ રૂપિયા વિકાસકાર્યો માટે અપાશે. ધારાસભ્યોએ આ રકમમાંથી 50 લાખ રૂપિયાના કામ જળસંગ્રહ અને જળસંચય માટે શરૂ કરાયેલા ‘કૅચ ધ રૅઈન’ અભિયાન માટે કરવા પડશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.
Site Admin | એપ્રિલ 9, 2025 7:37 પી એમ(PM)
રાજ્યના ધારાસભ્યોના અનુદાનમાં એક કરોડ રૂપિયાનો વધારો કરાયો
