રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે કહ્યું, આદિવાસી જીવન ધરતી અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આદિવાસી સમુદાય પાસે ધરતી માતાની જાળવણી અને પ્રકૃતિ સાથે કઈ રીતે જોડાવવું એ લોકોએ શીખવું જોઈએ.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લિગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પમાં સુશ્રી અગરવાલે ગઈકાલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે આદિવાસી સમુદાયના અધિકારો અને યોજનાઓ તેમના સુધી પહોંચાડવામાં ન્યાયતંત્ર એક કડી હોવાનું પણ ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી. આર. ગવઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કૅમ્પમાં યોજનાકીય સહાય, પ્રાકૃતિક ખેતી, શિક્ષણ, આરોગ્ય સહિતની વિવિધ 18 જેટલી હાટડી પણ બનાવાઈ હતી. તેના થકી લોકોને વિવિધ યોજનાઓથી જાગૃત કરાયા હતા.
Site Admin | એપ્રિલ 28, 2025 9:26 એ એમ (AM)
રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે આદિવાસી સમુદાય પાસે જમીનની જાળવણીના પાઠ શીખવા અપીલ કરી
