યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ ધોળાવીરામાં નવી ટેન્ટ સિટી તૈયાર શરૂ થતાં વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ ટેન્ટ સિટી કચ્છના સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ માટે એક નવો અનુભવ બની રહેશે.
કચ્છની સંસ્કૃતિ અને કલાને દર્શાવતી આ ટેન્ટ સિટી 15 માર્ચ સુધી ખુલી રહેશે. ધોળાવીરા ટેન્ટ સિટીમાં કુલ 140 ટેન્ટ છે, જેમાં દરબારી અને રાજવાડી ટેન્ટનો સમાવેશ થાય છે. આ ટેન્ટ સિટી બનાવવાનો મુખ્ય હેતુ ધોળાવીરાને પ્રોત્સાહન આપવાનો છે જેથી કચ્છના આ દૂરસ્થ પ્રાચીન શહેર અને પ્રાચીન સંસ્કૃતિને વધુ પ્રદર્શિત કરી શકાય.
ધોળાવીરા ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તા કહે છે કે આ ટેન્ટ સિટીમાં કચ્છની સંસ્કૃતિના દર્શન કરાવવાની સાથે અહીંના સ્થાનિક લોકોને રોજગાર પણ આપી રહી છે. જુલાઈ 2021માં જ્યારે યુનેસ્કોએ ભારતના કચ્છ જિલ્લામાં આવેલી સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલ વર્લ્ડ હેરિટેજ જાહેર કરી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ધોળાવીરા સાથે જોડાયેલી પોતાની યાદોનો ઉલ્લેખ કર્યો હતો.
શ્રી મોદીએ લખ્યું હતું કે તેઓ પહેલીવાર પોતાના સ્કૂલના દિવસોમાં આ ખૂબ જ રોમાંચક સ્થળ પર પહોંચ્યા હતા. ઘણા દાયકાઓ પછી જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે અહીંની મુલાકાત લીધી હતી. આ ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓ બોલિવૂડ થીમ સાથે ટેન્ટ સિટીમાં રહેવાનો આનંદ માણી શકશે અને સાથે સાથે ધોળાવીરાના ઇતિહાસ વિશે પણ જાણી શકશે.
Site Admin | નવેમ્બર 2, 2024 9:14 એ એમ (AM)
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ ધોળાવીરામાં નવી ટેન્ટ સિટીનો પ્રારંભ
