મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વરસાદના એક-એક ટીપાંને બચાવવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ લોકોને કેચ ધ રેન, એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે, જેથી સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ કરી શકાય તેમજ ગેરકાયદેસર રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો માટે અન્ય સુવિધાઓ ઊભી કરી શકાય. આ કાર્યક્રમમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | એપ્રિલ 12, 2025 8:47 એ એમ (AM)
મુખ્યમંત્રીએ લોકોને કેચ ધ રેન, એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી
