રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગત એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્ય સરકાર દ્વારા આ માટે 354 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ અને બે વર્ષનું બાળક ધરાવતી મહિલાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે. માતા અને બાળકના આરોગ્યમાં સુધારો કરવાના હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને 2 વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરાવનારી માતાને લાભ મળે છે. તેમાં લાભાર્થીને 2 કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સિંગતેલ દર મહિને અપાય છે.
Site Admin | એપ્રિલ 11, 2025 8:58 એ એમ (AM)
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીને લાભ અપાયો
