મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગર ખાતે આજે 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, રાજ્યમાં દર વર્ષે 7 હજારથી વધુ તબીબ તૈયાર થાય છે.
કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે વિસનગર બાયપાસ રોડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના વળતરના ચેક જમીનધારક ખેડૂતોને અર્પણ કર્યાં. તેમજ આ વિસ્તારના ક્ષયના દર્દીઓને નિ:ક્ષય કિટ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કર્યું. ઉપરાંત ઉમતા-દેણપ રોડ ખાતે તેમણે શ્રી કમલ-સંધ્યા ‘અપના ઘર’ આશ્રમ-ઉમતાનું લોકાર્પણ પણ કર્યું.