મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પંચમહાલમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું રાજ્ય સરકાર આદિવાસી સમુદાયો અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ગુજરાતે તમામ જિલ્લાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની પહોંચ સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
આ પ્રસંગે શ્રી પટેલે પંચમહાલ જિલ્લામાં 649 કરોડ રૂપિયાના 18 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં SRP ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
Site Admin | મે 1, 2025 3:05 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
