સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા માતાજીના મંદિરના ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવની ઉજવણીમાં ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. દરમિયાન તેમણે ‘એક પેડ મા કે નામ’ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન ‘કેચ ધ રેઈન’માં જોડાઈ તેને પોતાનો સ્વભાવ બનાવવા લોકોને અપીલ કરી હતી. આ ઉપરાંત શ્રી પટેલે શહેરની સ્વચ્છતાની કાયમી જાળવણી કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરી લોકોને આદર્શ નાગરિક બનવા પણ આહ્વાન કર્યું હતું.
Site Admin | માર્ચ 18, 2025 7:55 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ મા કે નામ’ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવવા લોકોને અનુરોધ કર્યો
