મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 માર્ચે મહેસાણાનાં વડનગરના અતિ પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, વડનગર ખાતે આગામી 22મી માર્ચથી ત્રિ-દિવસ મહોત્સવ દરમિયાન જળયાત્રા, હવન સહિતના કાર્યક્રમ યોજાશે, જેમાં યજ્ઞશાળાને ખુલ્લી મુકી, નવનિર્મિત સપ્તેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરાશે.
Site Admin | માર્ચ 14, 2025 7:24 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 માર્ચે મહેસાણાનાં વડનગરના અતિ પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે
