ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 14, 2025 7:24 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 માર્ચે મહેસાણાનાં વડનગરના અતિ પ્રાચીન  હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24 માર્ચે મહેસાણાનાં વડનગરના અતિ પ્રાચીન  હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, વડનગર ખાતે આગામી 22મી માર્ચથી ત્રિ-દિવસ મહોત્સવ દરમિયાન જળયાત્રા, હવન સહિતના કાર્યક્રમ યોજાશે, જેમાં યજ્ઞશાળાને ખુલ્લી મુકી, નવનિર્મિત સપ્તેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ