રાજ્યના ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મહાવિદ્યાલયોમાં પ્રવેશ માટે કોઈ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કૉમન એડમિશન સર્વિસીઝ એટલે કે, જીકાસ પૉર્ટલની સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ સૂચના આપી હતી. દરમિયાન તેમણે આ વર્ષે યોજાનારી પ્રવેશ પ્રક્રિયા તેમ જ જીકાસ પૉર્ટલ માટેની પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણોની પણ સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયા, શિક્ષણ વિભાગનાં સચિવ સુનયના તોમર તેમજ 16-થી વધુ સરકારી વિશ્વ-વિદ્યાલયના કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.