ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 12, 2025 6:45 પી એમ(PM)

printer

ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથે હતી,પાકિસ્તાની સેના સાથે નહીં.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ એર ઓપરેશન્સ, એર માર્શલ એ. કે. ભારતીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની લડાઈ આતંકવાદીઓ અને તેમના સહાયક માળખા સાથે હતી,પાકિસ્તાની સેના સાથે નહીં. નવી દિલ્હીમાં ઓપરેશન સિંદુંર અંગે માહિતી આપતા એર માર્શલ ભારતીએ જણાવ્યું કે, એ દુઃખની વાત છે કે પાકિસ્તાની સેનાએ દરમિયાનગીરી કરીને આતંકવાદીઓને સમર્થન આપવાનું પસંદ કર્યું જેના કારણે ભારતીય સશસ્ત્ર દળોને જવાબ આપવા માટે મજબૂર થવું પડ્યું.એર માર્શલ ભારતીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કેવી રીતે ભારતીય દળોએ દેશના નાગરિક અને લશ્કરી માળખાને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડ્યું તે વિશે વિગતો આપી હતી.

એર માર્શલ ભારતીએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાયેલા ડ્રોન અને માનવરહિત લડાકુ હવાઈ વાહનોનેસ્વદેશી રીતે વિકસિત સોફ્ટ અને હાર્ડ કિલ કાઉન્ટર-યુએએસ સિસ્ટમ્સ અને તાલીમબધ્ધ ભારતીય વાયુ સેનાના જવાનો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે,ભારતે પાકિસ્તાનનાં નુર ખાન એરબેઝ અને રહીમ યાર ખાન એરબેઝને નષ્ટ કર્યા છે.ભારતની હવાઇ સંરક્ષણપ્રણાલિનો ચિતાર આપતા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ-DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઇએ જણાવ્યું કે, પાકિસ્તાની હવાઇદળે ભારતનાં હવાઇ ક્ષેત્ર અને માળખા પર કરેલા હૂમલાને ભારતનાં ડ્રોન અને બહુસ્તરીયસંરક્ષણ પ્રણાલિ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યો હતો. 

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઇએ કામગીરીમાં સહકાર આપવા બદલ સરહદ સલામતી દળ-BSFની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું  ઓપરેશન સિંદૂર સામેની તમામપ્રકારની કાર્યવાહીમાં લશ્કરની ત્રણેય પાંખો વચ્ચે સંપૂર્ણ તાલમેલ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર, વિવિધ વિભાગો, એજન્સીઓ અને દેશના 140 કરોડ લોકોનું તેમને સંપૂર્ણ સમર્થન હતું.

પત્રકાર પરિષદમાં ડાયરેક્ટર જનરલ ઓફ નેવેલ ઓપરેશન્સ વાઇસ એડમિરલ એએન પ્રમોદે જણાવ્યું કે, નૌકાદળ એક સંયુક્ત નેટવર્ક દળતરીકે કામ કરે છે જે એક સાથે તમામ ક્ષેત્રોમાંથી ઉદભવતા જોખમોનું સમાધાન કરવામાં સક્ષમ છે. તેમણેજણાવ્યું કે, બહુવિધ સેન્સર્સ અને માહિતીનો ઉપયોગ કરીને ભારતીય નૌકાદળ આવનારા પડકારોને નિષ્ફળ બનાવવા સતત દેખરેખ રાખી રહી છે.તેમણે જણાવ્યું કે, વર્તમાન સંઘર્ષમાં મોટી સંખ્યામાં મિગ 29 ફાઇટર્સ અને એરબોર્ન અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર્સ ધરાવતા નૌકા દળનાં વિમાનમાહક જહાજોની હાજરીને કારણે દુશ્મનનાં તમામ શંકાસ્પદ અથવા પ્રતિકૂળ વિમાનોને સેંકડો કિલોમીટરની અંદર અટકાવવામાં આવ્યા હતા.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ