પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તાજેતરના તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે વર્તમાન પરિસ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે તાત્કાલિક તણાવ ઓછો કરવા, સંવાદ અને દરમિયાનગીરીની હાકલ કરવા અને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે અપીલનો પુનરોચ્ચાર કર્યો.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિગતવાર માહિતી આપી અને પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. શ્રી મોદીએ જણાવ્યું કે ભારત શાંતિ અને માનવતાના પક્ષમાં છે.
પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના સુરક્ષિત વાપસી અને સ્વદેશ પરત ફરવા માટે સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો આભાર માન્યો.
Site Admin | જૂન 22, 2025 8:04 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી તાજેતરના તણાવ પર ચિંતા વ્યક્ત કરી
