ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 10, 2025 3:04 પી એમ(PM)

printer

પૂનમ નિમિત્તે જળયાત્રા ઉત્સવને લઈ દ્વારકા મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે જળયાત્રા ઉત્સવને લઈ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સત્તાવાર યાદી મુજબ, સવારે છ વાગ્યે મંગળા આરતી, સવારે છ-થી આઠ વાગ્યા સુધી મંગળા દર્શન, સવારે આઠ-થી નવ વાગ્યા સુધી શ્રીજીને ખૂલ્લા પડદે સ્નાન કરાવાશે. ત્યારબાદ બપોરે એક-થી પાંચ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. ને સાંજે પાંચ વાગ્યે ઉત્થાપન દર્શન થઈ શકશે. ઉપરાંત સાંજે પાંચ-થી સાડા નવ વાગ્યા સુધી જળયાત્રા ઉત્સવ ઉજવાશે અને રાત્રે સાડા નવ વાગ્યે દર્શન બંધ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ