પાટણની વિશ્વ વિખ્યાત રાણીની વાવમાં આવતીકાલે એક અદભુત દૃશ્ય જોવા મળશે. 21 માર્ચે બપોરે 12:39 કલાકે સૂર્યના કિરણો સીધા ભગવાન શેષશાયી વિષ્ણુની મૂર્તિ પર પડતા જોવા મળશે. આ ઘટના ‘વસંત સંપ્રાત’ તરીકે ઓળખાય છે, જે દિવસથી સૂર્ય ઉત્તર તરફ ખસે છે,અને આ કારણે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થતી જાય છે.
રાણીની વાવનું નિર્માણ ઈ.સ. 1063માં સોલંકી વંશના રાજા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ પોતાના પતિની યાદમાં કરાવ્યું હતું. અહીંના રેતીયા પથ્થર પર કંડારેલી તક્ષણકલા અદ્ભુત છે. વાવમાં ભગવાન વિષ્ણુના તમામ અવતારોની મૂર્તિઓ સ્થાપિત છે, અને કૂવામાં શેષશાયી વિષ્ણુની મૂર્તિ એવી રીતે સ્થાપેલી છે કે 21 માર્ચ અને 21 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો 300 સ્તંભોની વચ્ચેથી પસાર થઈને સીધા મૂર્તિ પર પડે છે.આ માનવસર્જિત ગણિતીય રચના અને ખગોળીય ઘટના એક અનોખું દૃશ્ય રચે છે.
Site Admin | માર્ચ 20, 2025 7:35 પી એમ(PM)
પાટણની વિશ્વ વિખ્યાત રાણીની વાવમાં આવતીકાલે એક અદભુત દૃશ્ય જોવા મળશે.
