પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગઈકાલે પ્રયાગરાજ પહોંચ્યું અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. ઉત્તરપ્રદેશ માહિતી વિભાગે જણાવ્યું હતું કે ભક્તોએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર ધાર્મિક વિધિઓ કરી અને પ્રાર્થના કરી. સમૂહ સાથે આવેલા મહંત રામનાથે જણાવ્યું હતું કે આ ભક્તો પહેલા હરિદ્વાર ગયા હતા અને મહાકુંભ આવે તે પહેલાં તેમના પૂર્વજોની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું.
મીડિયા સાથે વાત કરતી વખતે, શ્રદ્ધાળુઓએ આ મહાકુંભમાં ભાગ લેવા માટે ઝડપથી વિઝા આપવા બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી કે ભારત સરકાર પાકિસ્તાનના યાત્રાળુઓને વિઝા આપવાનું ચાલુ રાખશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 10:01 એ એમ (AM)
પાકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ શ્રદ્ધાળુઓનું એક જૂથ ગઈકાલે પ્રયાગરાજ પહોંચ્યું અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી
