નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આમાંથી આઠ વિમાનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગઇકાલે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે. ગૃહ સચિવ આ સમિતિના અધ્યક્ષ રહેશે.
Site Admin | જૂન 15, 2025 9:27 એ એમ (AM)
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે 34 બોઇંગ-787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો
