ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 14, 2025 7:51 પી એમ(PM) | કે. રામ મોહન

printer

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આમાંથી આઠ વિમાનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે. ગૃહ સચિવ આ સમિતિના અધ્યક્ષ રહેશે.
શ્રી નાયડુએ જણાવ્યું હતું કે વિમાન દુર્ધટના પછી તરત જ, વિમાન દુર્ધટના તપાસ બ્યુરો સક્રિય કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તપાસ બ્યુરોએ વિમાનનું બ્લેક બોક્સ શોધી કાઢ્યું છે. પીડિતોની ઓળખ કરવા અને તેમના મૃતદેહો પરિવારોને સોંપવા માટે ડીએનએ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ