ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 9:55 એ એમ (AM)

printer

નમામિ દેવી નર્મદેઃ ના નાદ સાથે આજથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ

નમામિ દેવી નર્મદેઃ ના નાદ સાથે નર્મદા જિલ્લામાં આજથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. 14 કિલોમીટરની આ પરિક્રમા એક મહિના સુધી ચાલશે. આ વખતે પરિક્રમા માર્ગ અને તમામ ઘાટ પર ત્રણ કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે અનેક સુવિધા કરવામાં આવી છે.વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં માં લગભગ છ કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે. તેથી જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે. એક માત્ર નર્મદા નદી જ એવી છે, જેની પરિક્રમા કરવામાં આવે છે. આગામી 27 એપ્રિલ સુધી યોજાનારી આ પરિક્રમાના માર્ગમાં આવતા શહેરાવ, રેંગણ, રામપુરા અને તિલકવાડા ઘાટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી આશા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ