દીવાળીના તહેવારના 3 દિવસ દરમ્યાન 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને 15 હજાર 179 ફોન કોલ મળ્યા હતા. દરરોજના સરેરાશ 5 હજાર 60 જેટલા કોલ મળ્યા હતા. સામાન્ય દિવસ કરતાં 3 દીવસમાં 12.34 ટકા કોલ વધુ મળ્યા હતાં. સામાન્ય દિવસમાં રોજના 4 હજાર 504 કોલ મળતા હોય છે.
108 ઇમરજન્સી સેવાના સી.ઇ.ઓ. જસવંત પ્રજાપતિએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસમાં દાઝવાના 102 કોલ મળ્યા હતા. જેમાં દિવાળીના દિવસે 38, પડતર દિવસે 40 અને નવા વર્ષના દિવસે 24 કોલ મળ્યા હતા. સરેરાશ રોજના 34 કોલ મળ્યા હતા. અમદાવાદ, સુરત, ભરૂચ અને રાજકોટમાં સૌથી વધુ કોલ મળ્યા હતા.
શારીરિક હુમલાના 3 દિવસ દરમ્યાન 988 કોલ મળ્યા હતા. જેમાંથી દિવાળીના દિવસે 323, પડતર દિવસે 381 અને નવા વર્ષે 284 કોલ મળ્યા હતા.
3 દિવસ દરમ્યાન રોડ અકસ્માતના 2 હજાર 829 કોલ મળ્યા હતા. જેમાં દિવાળીના દિવસે 921, પડતર દિવસે 827 અને નવા વર્ષે 1 હજાર 81 ફોન કોલ મળ્યા હતા. સામાન્ય દિવસમાં રોજ 481 કોલ મળ્યા હતા. જયારે 3 દિવસમાં સરેરાશ પ્રતિ દિવસ 943 કોલ મળ્યા હતા. કુલ 96.05 ટકા વધારે મળ્યા છે.
સૌથી વધુ દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નવસારી, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સાબરકાંઠા, કચ્છ અને ખેડામાં વધુ કોલ મળ્યા હતા.
Site Admin | નવેમ્બર 3, 2024 7:22 પી એમ(PM) | દીવાળીના તહેવારના
દીવાળીના તહેવારના 3 દિવસ દરમ્યાન 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને 15 હજાર 179 ફોન કોલ મળ્યા હતા. દરરોજના સરેરાશ 5 હજાર 60 જેટલા કોલ મળ્યા હતા.
