દિવાળીના તહેવારને જોતા અમદાવાદ મેટ્રોના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરાયો છે. આવતીકાલે અમદાવાદ મેટ્રો સવારે 6.20થી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આવતીકાલે શહેરના દરેક ટર્મિનલ એટલે કે મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ તેમજ થલતેજથી બંને કોરિડોરમાં છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સાંજે 7 વાગ્યાનો રહેશે. સામાન્ય દિવસોમાં આ સમય 6.20થી રાત્રે 10 વાગ્યાનો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 4:25 પી એમ(PM)
દિવાળીના તહેવારને જોતા અમદાવાદ મેટ્રોના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરાયો
