દિવાળીના તહેવાર નિમિત્તે છેલ્લા પાંચ દિવસમાં બોટાદના સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 25 લાખ ભક્તોએ દર્શન કર્યા છે.. શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયમાં પાંચ દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હોવાનું મંદિર દ્વારા જણાવાયું છે..
બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય વાઘા તેમજ દાદાના સિંહાસનને 200 કિલોથી વધુ ગલગોટા અને ગુલાબના ફુલનો શણગાર કરાયો હતો. આજે શ્રી હરિ મંદિરમાં સુંદરકાંડ પાઠ પણ કરાયા હતા.
Site Admin | નવેમ્બર 5, 2024 3:15 પી એમ(PM)
દિવાળીના તહેવાર નિમિત્તે છેલ્લા પાંચ દિવસમાં બોટાદના સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 25 લાખ ભક્તોએ દર્શન કર્યા
