દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ અને સરકારી આઈ.ટી.આઈ.ના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં 500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 377 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી.
આ કાર્યક્રમમાં ઉમેદવારોને રોજગારલક્ષી ઓનલાઈન પોર્ટલ અનુબંધમ, એન.સી.એસ. પોર્ટલ દ્વારા રોજગારી શોધવા તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અને ફ્રી વોકેશનલ તાલીમ અંગે માર્ગદર્શન પણ આપવામા આવ્યુ.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:12 પી એમ(PM)
દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ
