જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં “ખરવા-મોવાસા રોગ અટકાવ રસીકરણ” કાર્યક્રમ અન્વયે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ થયો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં બે લાખ 56 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવશે. અગાઉ આ ઝુંબેશ અંતર્ગત બે લાખ 76 હજાર ઘેટા-બકરાનું રસીકરણ કરાયું હતું.ઉલ્લેખનીય છે કે ખરવા-મોવાસા એ પશુઓમાં જોવા મળતો ચેપી રોગ છે, જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો, વજનમાં ઘટાડો અને ગંભીર કિસ્સાઓમાં પશુઓના મૃત્યુનું કારણ બની શકે છે. આ રોગને અટકાવવા માટે રસીકરણ એ સૌથી અસરકારક ઉપાય છે.
Site Admin | માર્ચ 17, 2025 3:00 પી એમ(PM)
જામનગરમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં “ખરવા-મોવાસા રોગ અટકાવ રસીકરણ” કાર્યક્રમ અન્વયે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ થયો
