જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કૉલોની એલ 88 બ્લૉકમાં આવેલા 12થી વધુ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા છે. અગાઉ આ જ વિસ્તારમાં જર્જરીત મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેને જોતાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટીપીઓ શાખા અને અગ્નિશમન શાખાએ આવાસ તોડી પાડવાની કામગીરી કરી હતી.
Site Admin | નવેમ્બર 20, 2024 3:40 પી એમ(PM)
જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કૉલોની એલ 88 બ્લૉકમાં આવેલા 12થી વધુ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા
