માર્ચ 28, 2025 3:37 પી એમ(PM)

printer

જામનગર મનપા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશે. હાલમાં રણમલ તળાવમાં 50 કિલોવૉટના ચાર અને મનોરંજન ઉદ્યાનમાં 30 કિલો વૉટના બે સોલાર વૃક્ષ લગાવાયા છે. અહીં એક ગઝીબો લગાવવા માટેની કામગીરી ચાલી રહી છે, જે એપ્રિલ મહિનામાં કાર્યરત્ કરાશે.