જળસંપત્તિ અને પાણી પુરવઠા, મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે ૨૭ લાખ ૨૮ હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.
શ્રી બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જન-આરોગ્ય અર્થે સતત ચિંતિત છે. વિંછીયા તાલુકાના છેવાડાના ગામ ગોરૈયામાં આરોગ્ય કેન્દ્ર ટુંક સમયમાં બની જશે. આથી, ગામલોકોને ઘર આંગણે પ્રાથમિક સારવાર મળતાં દૂર સુધી જવું નહીં પડે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્ર સાકાર થવા જઈ રહ્યું છે, જે ખુશીની વાત છે.
આ પ્રસંગે વિચરતી-વિમુક્ત જાતિના ૬ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની સનદનું વિતરણ કરાયું હતું.