પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા અગિયાર વર્ષમાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા નોંધપાત્ર પરિવર્તન પર પ્રકાશ પાડ્યો છે.
સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સંરક્ષણ ઉત્પાદનમાં આધુનિકીકરણ અને આત્મનિર્ભરતા હાંસલ કરવા બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, રાષ્ટ્રને મજબૂત કરવા માટે ભારતના લોકો સહિયારા સંકલ્પ સાથે કેવી રીતે એક થયા છે તે જોવું આનંદદાયક છે.
Site Admin | જૂન 10, 2025 2:20 પી એમ(PM)
છેલ્લા 11 વર્ષમાં ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું : પ્રધાનમંત્રી મોદી
