ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 9:57 એ એમ (AM)

printer

ગુજરાત અને બિહારના સંબંધો આદિકાળથી ઐતિહાસિક રહ્યા છે-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત અને બિહારના સંબંધ આદિકાળથી ઐતિહાસિક રહ્યા છે. બિહાર બૌદ્ધ ધર્મથી પ્રભાવિત છે તો ગુજરાત બૌદ્ધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે બિહાર સ્થાપના દિવસ અને હોળી મિલન મહોત્સવમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.શ્રી પટેલે ઉમેર્યું, બિહારની નાલંદા અને ગુજરાતની વલ્લભ વિદ્યાપીઠ પ્રાચીન વિશ્વની અજોડ શિક્ષણ સંસ્થાઓ હતી. બંને રાજ્ય ઐતિહાસિક અને રાજકીય ચળવળોના સાથી અને સાક્ષી રહ્યા છે. શ્રી પટેલે પોતાના સંબોધનમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન શ્રી પટેલે સૌને ચૈત્રી નવરાત્રિની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંતો-મહંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ