ખેડાના કનીજ ગામમાં મેશ્વો નદીમાં છ બાળકો ડૂબી જતાં પાંચના મોત થયાના અહેવાલ છે. ગઇકાલે નદીમાં નાહવા ગયેલા છ બાળકો ડૂબી ગયા હોવાનું જણાયું હતું. અગ્નિશમન દળની ટુકડી દ્વારા પાંચ બાળકોના મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે એક બાળકની શોધખોળ ચાલી રહી છે. આ અંગે જિલ્લા કલેકટર અમિત યાદવે માહિતી આપી.
Site Admin | મે 1, 2025 9:36 એ એમ (AM)
ખેડાના કનીજ ગામમાં મેશ્વો નદીમાં છ બાળકો ડૂબી જતાં પાંચના મોત, એકની શોધખોળ ચાલી રહી છે
