કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સાંજે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો અને શોકગ્રસ્ત પરિવારોને મળશે અને વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ નું આયોજન પાલડી કોચરબ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. પાટણ ખાતે ગઈકાલે કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત પાટણ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા પણ શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.
Site Admin | જૂન 14, 2025 9:28 એ એમ (AM)
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સાંજે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે
