કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે રહેશે. સત્તાવાર યાદી મુજબ, દરમિયાન શ્રી માંડવિયા રાજકોટ, ગોંડલ, જેતપુર અને પોરબંદરની મુલાકાત લેશે. તેઓ આજે સાંજે પ્રબુદ્ધ ગોષ્ઠી કાર્યક્રમમાં જોડાશે. આવતીકાલે તેઓ 21 કિલોમીટર લાંબી સાઈક્લો ફન 2025 સહિતના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.શ્રી માંડવિયા આવતીકાલે સવારે શહેર ભાજપ પ્રમુખના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજ લહેરાવશે. ઉપરાંત તેઓ પોરબંદરમાં માધવપુર ઘેડ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | એપ્રિલ 5, 2025 9:45 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે
