કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર ખાતે સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ ગ્રંથાલયના ઉત્કર્ષ, નવીનીકરણ અને વાંચન સંસ્કૃતિના વિકાસ અંગે વિચાર વિમર્શ કરવાનો હતો.
આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે, વ્યક્તિના બૌધ્ધિક વિકાસમાં પુસ્તકો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ભવિષ્યની પેઢીના સર્જન માટે પુસ્તકાલય ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે પુસ્તકાલયોનો સમૃધ્ધ બનાવવા તથા વાંચનને વ્યાપક બનાવવા કાર્ય યોજના ઘડવા સૌને અનુરોધ કર્યો હતો.
Site Admin | નવેમ્બર 2, 2024 9:13 એ એમ (AM)
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર ખાતે સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો
