કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે સાળંગપુરના પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સવારે 9-30 કલાકે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદઘાટન કરશે. 200 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલા આ ભવનમાં અત્યાધુનિક સુવિધા ધરાવતા 1100 રૂમ બનાવવામાં આવ્યા છે. દિવાળીનાં પ્રસંગે યાત્રિક ભવન સહિત સમગ્ર મંદિરને સજાવવામાં આવ્યું છે. આવતી કાલે કાળી ચૌદશ નિમિતે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હવન માટે યજ્ઞ શાળા તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે.
દરમિયાન, દિવાળીનાં પર્વ પ્રસંગે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે. આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ચલણી નોટોનાં શણગાર કરવામાં આવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 4:31 પી એમ(PM)
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે સાળંગપુરના પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદઘાટન કરશે
