ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 15, 2025 9:50 એ એમ (AM)

printer

કાર્બાઇડ ફ્રી અને ખેડૂત પાસેથી ગ્રાહકો સીધી જ કેરી ખરીદી શકે તે માટે અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ શરૂ

ખેડૂતો પાસેથી ગ્રાહકો સીધી જ કેરી ખરીદી કરી શકે તેવા આશય સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નો આરંભ કરાવ્યો હતો.
આ વર્ષે પણ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના કેરી પકવતા ખેડૂતો, ખેડૂત મંડળીઓ અને નેચરલ ફાર્મિંગ FPOને સાથે લાવીને ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે.શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશને માણી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ