કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. ઘટના ની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી. પાંચ પૈકી ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા જ્યારે આ અહેવાલ મળ્યાં ત્યાં સુધીમાં એક બાળકની શોધખોળ થઇ રહી છે.
અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટ્ટણીના અહેવાલ અનુસાર બપોરના સમયે જમ્યા બાદ વાંઢથી દૂર ભવાની પુર પાસેના તળાવમાં ન્હાતી ભેંસો લેવા ગયેલા માલધારી પરિવારના પાંચ બાળકો પણ તળાવમાં ન્હાવા પડ્યા હતા. જેમાં એક બાદ એક તમામ બાળકો ડૂબવા લાગ્યા હતા. સાંજ સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને તંત્રને જાણ કરી હતી.
Site Admin | માર્ચ 16, 2025 9:17 એ એમ (AM)
કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબ્યાં
