ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
યાત્રા શરૂ થયાના માત્ર વીસ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં દર્શન કર્યા. સત્તાવાર આંકડા મુજબ, અંદાજે ચાર લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ બે લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ અને ત્રણ લાખ 55 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં દર્શન કર્યા છે.
રાજ્ય સરકાર અને વહીવટીતંત્રે આ વર્ષે યાત્રા સરળ અને સલામત રહે તે માટે વ્યાપક તૈયારીઓ કરી છે. ચારેય ધામોમાં આરોગ્ય શિબિરો, મોબાઇલ મેડિકલ યુનિટ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓ તૈનાત કરવામાં આવી છે. જયારે યાત્રાળુઓ માટે પીવાનું પાણી, સ્વચ્છતા અને આરામ સ્થળો માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રા દરમિયાન સુરક્ષા વધારવા એક વિશેષ દેખરેખ પ્રણાલી શરૂ કરાઇ છે. ઉપરાંત, કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી સહાય પૂરી પાડવા યાત્રા માર્ગો અને યાત્રાધામો પર ટ્રાફિક વ્યવસ્થાપન, હવામાન ચેતવણી અને કટોકટી પ્રતિભાવ ટીમ તૈનાત કરવામાં આવી છે.
Site Admin | મે 20, 2025 2:06 પી એમ(PM)
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
