ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા દરમિયાન ભક્તો માટે ભોજન, મેડિકલ સહિતની વ્યવસ્થા કરાઈ છે. નદી પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે બોટની વ્યવસ્થા અને શહેરાવ ઘાટ પર સામે પાર જવા માટે 2 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પૂલ તૈયાર થતાં શ્રદ્ધાળુઓને સરળતા રહી છે.
Site Admin | માર્ચ 29, 2025 3:07 પી એમ(PM)
ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ
