આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા-IAEA ના વડા રાફેલ ગ્રોસીના જણાવ્યા અનુસાર, ઈરાનમાં તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) આવતીકાલે એક તાકીદની બેઠક યોજશે.
આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં ગ્રોસીએ કહ્યું કે, ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકન લશ્કરી હુમલા પછી તેઓ એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની કટોકટી બેઠક બોલાવી રહ્યા છે.
દરમિયાન, ઈરાનના પરમાણુ વડા મોહમ્મદ ઇસ્લામે IAEA ને પત્ર લખીને કહ્યું છે કે તેહરાન અમેરિકાના હુમલાઓની તપાસ ઇચ્છે છે અને વોચડોગને યુએસ કાર્યવાહીની નિંદા કરવા વિનંતી કરી રહ્યું છે.
અગાઉ, IAEA એ પુષ્ટિ કરી હતી કે અમેરિકા દ્વારા ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યા પછી રેડિયેશનના સ્તરમાં “કોઈ વધારો” થયો નથી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ નિરીક્ષક સંસ્થાએ પુષ્ટિ આપી છે કે અત્યાર સુધી સ્થળની બહાર રેડિયેશન સ્તરમાં કોઈ વધારો થયો નથી. તેણે ઉમેર્યું હતું કે વધુ માહિતી ઉપલબ્ધ થતાં વધુ મૂલ્યાંકન પ્રદાન કરવામાં આવશે.
Site Admin | જૂન 22, 2025 8:03 પી એમ(PM)
ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પછી રેડિયેશનમાં કોઈ વધારો થયો ન હોવાની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા એ પુષ્ટિ કરી
