પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા શક્તિપીઠ પાવાગઢમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રી માટે સુચારુ આયોજનો કરાયા છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન રાજ્ય સહિત આસપાસના રાજ્યૉ માંથી લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે યાત્રીઓની સરળતા માટે એકમ, આઠમ, નોમ અને પૂનમે મંદિરના કપાટ અને રોપવે સેવાનો સમય સવારે 4 વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધીનો રહેશે. આ સાથે નવરાત્રિના પ્રથમ દિવસથી મંદિર ટ્રસ્ટ દ્વારા 5000 યાત્રાળુઓની નિશુલ્ક જમવાની વ્યવસ્થા શરૂ કરાશે. યાત્રાળુઓની સલામતીને લઈને તળેટીથી માંચી સુધી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકાશે. જ્યારે એસટી વિભાગ દ્વારા 24 કલાક માટે 60 બસો મુકાશે તેવું હાલોલ એસટી ડેપો મેનેજરે જણાવ્યું છે.
Site Admin | માર્ચ 29, 2025 3:04 પી એમ(PM)
આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
