ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 20, 2025 7:20 પી એમ(PM)

printer

આવતી કાલે વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

આવતી કાલે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વડનગરમાં કરવામાં આવશે. વડનગરના 11 સ્થળો પર કુલ 11 હજાર લોકો યોગમાં જોડાશે. મુખ્ય કાર્યક્રમ શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે પ્રહલાદ નગર ગાર્ડન ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ઉજવણી થશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા આવતી કાલે સવારે છ વાગે વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યારે તમામ મંત્રીઓ અલગ અલગ જિલ્લામાં યોગના કાર્યકમમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 311 જેટલી જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાશે જેમાં 10 હજાર જેટલા લોકો ભાગ લેશે.
સ્વથ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત વિષય વસ્તુ સાથે યોજાનાર યોગ દિવસની ઉજવણીનો વિશ્વ વિક્રમ સર્જવામાં આવશે.
દરમિયાન, વિવિધ જિલ્લાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આવતી કાલે સવારે ચાચર ચોક ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં યોગ દિવસની ઉજવણી રાજપીપળા સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉજવાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ પોલિસ પરેડ ગ્રાઉન્ડ-ખંભાળીયા ખાતે યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વપ્રસિધ્ધ ધાર્મિક તીર્થસ્થાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર -તરણેતર પરિસરમાં અને ચોટીલા ડુંગર ખાતે મંદિર પરિસરમાં યોગ નિદર્શન કરવામાં આવ્યું.
ગીર સોમનાથમાં પણ વેરાવળ ચોપાટી ખાતે યોગ દ્વારા જાગૃતિ ફેલાવવા બહેનો દ્વારા યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
મોરબીમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જ્યારે નગરપાલિકા સ્તરનો કાર્યક્રમ મણિ મંદિર ખાતે યોજાશે. આ વર્ષનાં યોગ દિવસની વિષયવસ્તુ છે ‘એક વિશ્વ, એક સ્વાસ્થ્ય માટે યોગ’.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ