આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ કોલ્ડ સ્ટોરેજ રૂમની પણ મુલાકાત લીધી હતી જ્યાં મૃતદેહો રાખવામાં આવ્યા છે. દરમિયાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ડીએનએ નમૂનાઓના આધારે અત્યાર સુધીમાં નવ પીડિતોની ઓળખ કરી છે. અમદાવાદ સિવિલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે આજે મૃતદેહો પરિવારોને સોંપવામાં આવશે. હાલમાં હોસ્પિટલમાં લગભગ 8 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને તેમાંથી એકની હાલત ગંભીર છે. બીજે મેડિકલ કોલેજના અધિકારીઓએ દુર્ધટના સ્થળની નજીક સ્થિત હોસ્ટેલ ખાલી કરાવવાનો નિર્ણય લીધો છે.
ફાયર ટીમોએ આજે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળના પાછળના ભાગમાંથી બીજો મૃતદેહ શોધી કાઢ્યો છે, જે એક એર હોસ્ટેસનો હોવાની શંકા છે. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો, મેડિકલ વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ સહિત 250 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
દરમિયાન, કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા, મલ્લિકાર્જુન ખડગેએ, સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અને વિમાન દુર્ધટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી
Site Admin | જૂન 14, 2025 8:02 પી એમ(PM) | રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી.
