આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. અમદાવાદમાં ‘વંદે આયુકોન-2025’ કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે.
આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લાં દસ વર્ષમાં આયુર્વેદનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 5 ટકાથી વધીને આશરે 50 ટકા સુધી પહોંચી છે.આ કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોને સન્માનિત કરાયા હતા અને રાજ્યમાંથી પસંદ થયેલા 11 શ્રેષ્ઠ આયુર્વેદિક ક્લિનિકને ‘બેસ્ટ ક્લિનિક-2025’ એવૉર્ડ એનાયત કરાયો હતો. તદુપરાંત, 500 ચિકિત્સકોને નિઃશુલ્ક ક્લિનિક ઓપીડી સોફ્ટવેર પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના 27 હજારથી વધુ આયુર્વેદિક તબીબો ઓનલાઇન તથા ઓફલાઇન માધ્યમથી સહભાગી થયા હતા.
Site Admin | માર્ચ 16, 2025 7:05 પી એમ(PM) | રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ.
