આજે વિશ્વ મધમાખી દિવસ છે. ત્યારે રાજ્યમાં મધમાખી પાલન ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ બન્યો છે. છેલ્લા એક દાયકામાં મધમાખી પાલન કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો છે.
મધમાખી પાલનને પ્રોત્સાહન આપવા રાજ્યના ખેડૂતોને વિવિધ યોજના હેઠળ 8 કરોડ 76 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના 53 આદિજાતિ તાલુકાના 5 હજાર 300 લાભાર્થીઓને ચાલુ વર્ષે બે-બે મધમાખીની પેટીઓ વિનામૂલ્યે અપાશે. જેથી તેઓ સરળતાથી મધમાખી પાલન શરૂ કરી શકે.મિશન મધમાખી હેઠળ અત્યાર સુધીમાં 11 હજાર 300 જેટલા લાભાર્થી ખેડૂતોને મધમાખી ઉછેરની અદ્યતન તાલીમ આપવામાં આવી છે.
Site Admin | મે 20, 2025 9:45 એ એમ (AM)
આજે વિશ્વ મધમાખી દિવસ-રાજ્યમાં મધમાખી પાલન ખેડૂતોની સમૃદ્ધિનો મધુર માર્ગ બન્યો
