આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ ફક્ત વ્યક્તિના શરીરને ખોખલો જ નથી કરતો, પરંતુ તે એક સુખી પરિવારનો પણ નાશ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિષેધ દિને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા, અને લોકોને તમાકુથી થતા નુકશાન વિશે માહિતી આપવામાં આવી હતી. વડોદરામાં ‘ફેથ ફાઉન્ડેશન’ નામનું એક NGO પણ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
મહેસાણા જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે એક રેલી યોજાઈ હતી.
અમરેલીમાં તમામ આરોગ્ય કેન્દ્ર, મેડિકલ કોલેજ, હોસ્પિટલ, જિલ્લા પંચાયત તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ વિશેષ દિવસની ઉજવણી નિમિત્તે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના રાજપીપલામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Site Admin | મે 31, 2025 8:16 પી એમ(PM)
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા
