ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રરાંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે ૬ વાગે મેળાનું ઉદ્ઘાટન કરશે. પોરબંદરના માધવપુર ગામે ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં માધવપુરનો લગ્ન મેળો યોજાતો હતો અને તે વખતે ભગવાન જયારે પરણવા નીકળતા ત્યારે પોરબંદર સ્ટેટની પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું હતું. તે પરંપરાના ભાગરૂપે આજે પણ અહીં ગુજરાત પોલીસ દ્વારા ભગવાન માધવરાયજીને પરણવા નીકળે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
Site Admin | એપ્રિલ 6, 2025 9:45 એ એમ (AM)
આજે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નોત્સવના મેળાનુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરશે
